એક શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓ સાથે
વાર્તાલાપ કરી રહ્યા હતા. શિક્ષકે
પોતાના વિદ્યાર્થીઓની સમક્ષ એક પ્રશ્ન
મુકતા પુછ્યુ , " આ બ્રહ્માંડમાં તમને જે કંઇ દેખાય છે એ
બધુ જ સર્જન ભગવાનનું છે એ સાચુ કે ખોટુ ?" એક
વિદ્યાર્થીએ ઉભા થઇને જવાબ આપ્યો , " સર, આપે જે
કહ્યુ તે બિલકુલ સાચુ છે સમગ્ર બહ્માંડમાં જે કંઇપણ
અસ્તિત્વમાં છે તેનું સર્જન ભગવાને જ કર્યુ છે."
શિક્ષકે વિદ્યાર્થીને સામો પ્રશ્ન પુછ્યો , " બેટા ,
તો પછી આ દુનિયામાં જે દુર્જનો અને શયતાનો છે એ
પણ ભગવાનની જ આ જગતને અપાયેલી ભેટ
ગણવાની ને ?"
વિદ્યાર્થીએ કહ્યુ , " સર, હું આ બાબતમાં જવાબ
આપતા પહેલા આપને બે પ્રશ્નો પુછી શકુ ?"
શિક્ષક : " ચોક્ક્સ , તારે જે પુછવુ હોય તે બિન્દાસ પુછ."
વિદ્યાર્થી : " સર, આ જગતમાં ઠંડીનું કોઇ અસ્તિત્વ છે
ખરુ ? "
શિક્ષક : " ઓફકોર્સ છે. કેમ તને ક્યારેય
ઠંડીની અનુભૂતિ નથી થતી."
વિદ્યાર્થી : " સર આપ મને માફ કરજો પણ આપ આ
બાબતમાં ખોટા છો ઠંડીનું કોઇ અસ્તિત્વ છે જ નહી,
માત્ર ગરમીની હાજરી નથી એટલે ઠંડી જેવું લાગે છે."
શિક્ષક : " યસ બેટા તુ સાચો છે."
વિદ્યાર્થી : સર બીજો સવાલ એ છે કે શું અંધારાનું
અસ્તિત્વ છે ? "
શિક્ષક : " હા , છે જ રોજ રાત્રે અંધારુ હોય જ છે ."
વિદ્યાર્થી : " સર, આપનો જવાબ ફરીવાર ખોટો છે.
સર અંધારા જેવુ કંઇ છે જ નહી માત્ર
પ્રકાશની હાજરી નથી માટે આપણને અંધારુ લાગે છે.
સર આપણે પણ હંમેશા ગરમી અને પ્રકાશ વિષે જ ભણીએ
છીએ ઠંડી અને અંધારા વિષે ક્યારેય કોઇ ભણાવતું
નથી. બસ એવી જ રીતે આ દુનિયામાં દુર્જન અને
શયતાનનું અસ્તિત્વ છે જ નહી માત્ર પ્રેમ , કરુણા અને
માનવતાથી હર્યાભર્યા સજ્જનોની ગેરહાજરી છે. "
શિક્ષકની સાથે દલીલ કરનારો આ
વિદ્યાર્થી આલ્બર્ટ આઇન્સ્ટાઇન હતો. આ જગતમાં જે
કંઇ પાપાચાર કે અનાચાર જોવા મળી રહ્યો છે તે
માત્ર સજ્જનતાના અભાવને કારણે છે બાકી આપણું
બધાનું મુળરૂપ તો નિર્મલ અને આનંદમય બ્રહ્મ જ છે.
Friday, 31 October 2014
Astitva-1 vichar
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment