Tuesday, 4 November 2014

‎દલપતરામ‬

‎દલપતરામ‬

-જન્મ: ૨૧ જાન્યુઆરી - ૧૮૨૦ , વઢવાણ

-અવસાન: ૨૫ માર્ચ - ૧૮૯૮ , અમદાવાદ

-પિતા - ડાહ્યાભાઈ

-પુત્ર - નાનાલાલ કવિ

-સુધારા યુગના મહત્વના કવિ

-વૈદિક કર્મકાંડ છોડી સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો

-સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ

-સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ

-મુખ્યત્વે કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક માં પ્રદાન

-બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી.

- ૧૮૪૮માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો.

-તેઓએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની જવાબદારી પણ સંભાળી હતી.

-૧૮૫૮માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી.

-બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ.ઇલ્કાબ મળ્યો હતો.

-૧૮૭૯માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી. અમદાવાદમાં અવસાન.

-બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ.ઇલ્કાબ મળ્યો હતો.

*મૂખ્ય કૃતિઓ*

- કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્
-નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
-નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી
-વ્રજભાષામાં - વ્રજ ચાતુરી
-વ્યાકરણ – દલપત પિંગળ


Posted via Blogaway

No comments: