Tuesday, 4 November 2014

ધીરા ભગત


ધીરા ભગત #

#નામ ધીરા પ્રતાપ બારોટ

#જન્મ- સંવત ૧૮૦૯-૧૦ (ઇ.સ. ૧૭૫૩)માં વડોદરા જિલ્લાના ગોઠડા ખાતે

#અવસાન - સંવત ૧૮૮૧ના આસો સુદ પૂનમ (ઇ.સ. ૧૮૨૫)

#પિતા – પ્રતાપ બારોટ

#માતા – દેવબા બારોટ

#ભાઇ – કરસનદાસ અને બાપુજી

# પત્ની – જતનબા

- ગામ ગોઠડામાં ગરાસ અને આર્થિક રીતે સંપન્ન

- કુળધર્મ વૈષ્ણવ, પાછળથી રામાનંદી સંપ્રદાય સ્વીકાર્યો

- ગુરૂનું નામ જીભાઇ વિશ્વનાથ શાસ્ત્રી. ધીરાને સંસ્કૃત ન આવડતું. આથિ શાસ્ત્રીજી પાસે સાંભળીને પદો લખતાં.

- વેદાંત તેમનો પ્રિય વિષય. આત્મજ્ઞાનની કવિતાની બાબતમાં તે બધા કવિઓમાં શિરમોર છે.

- તેમના પદો ‘કાફી‘ નામના રાગમાં ગવાતા હોવાથી કાફી તરીકે જાણીતા છે.

- પોતાની કવિતા રચીને તુંબડા કે વાંસની નલીકામાં ભરીને નદીમાં પ્રવાહીત કરી દેતા. આથી તેમની રચનાઓ નદીકાંઠાના વિસ્તારોમાં પ્રસિદ્ધ છે.

- તેમનું શિષ્યમંડળ ઘણું મોટું હતું. પ્રમુખ શિષ્ય : બાપુસાહેબ ગાયકવાડ

- ૨૫૦૦૦થી ૩૦૦૦૦ પદના ગ્રંથ ‘રણયજ્ઞ’ ની રચના કરી.

- કેટલીક રચનાઓ હિન્દીમાં પણ કરી છે.

**રચનાઓ

- રણયજ્ઞ,
-જ્ઞાનકક્કો,
-મતવાદી આત્મબોધ,
-યોગમાર્ગ,
-પ્રશ્નોત્તરમાર્ગ,
-ગરબીઓ,
-ઢાળ,
-અશ્વમેઘ,
-જ્ઞાનબત્રીસી,
-દ્રૌપદીવસ્ત્રાહરણ,
-સુરતીબાઇનો વિવાહ,
-ગુરુપ્રશંસા,
-શિષ્યધર્મ,
-ધર્મવિચાર,
-માયાનો મહિમા,
-ઇશ્વરસ્તુતિ સ્વરૂપ,
-મતવાદી,
-ગુરૂધર્મ,
-શિષ્યધર્મ,
-કુંડળીયા,
- અવળવાણી.

#સંદર્ભ

- પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ (સં. રમણિક દેસાઇ)


Posted via Blogaway

No comments: